Bhavne Vash Bhagwan...

Bhavne Vash Bhagwan...
September 1, 2024
Sakarswarupdasji Swami - Kundaldham
0:00/0:00

ભૂદેવ અતિ ભાવવિભોર થઈને કહે, “હે મહારાજ ! ઘણા દિવસનો મારો સંકલ્પ હતો, તે સર્વજ્ઞ ને ભક્તમનોરથપૂરક એવા તમે આજ મારો તે સંકલ્પ પૂરો કરીને મને કૃતારથ કર્યો. આપનું ભક્તમનોરથપૂરક એવું નામ, તે આજ તમે સત્ય કર્યું.” એમ કહેતાં આંખમાં પ્રેમનાં આંસુ આવી ગયાં ને મહારાજના ચરણ પાસે બેસી ગયા.

આમ, મહારાજ તે ભક્તના ભાવને વશ થઈને તેનો રોટલો ને ભાજી જમીને તેમને રાજી કરી ત્યાંથી પાછા વાસણ સુથારની ઓરડીએ આવીને પોઢી ગયા. ત્યારે બ્રહ્મચારી કહે, “હે મહારાજ ! ન્હાવા ગયા હતા ને ?” ત્યારે મહારાજ કહે જે, “અમે નાહીને આવ્યા.” એમ રમૂજ કરીને પોઢી ગયા.