Wah ! Prabhu ! Shu Tamaru Kartrutva !

Wah ! Prabhu ! Shu Tamaru Kartrutva !
March 1, 2024
Anadiswarupdasji Swami - Kundaldham
0:00/0:00

દેહાભિમાનના કારણે આપણને અવારનવાર એમ થાય કે મેં આ કામ સરસ કર્યું, મારી બુદ્ધિ-શક્તિથી કર્યું, આના માટે કર્યું, પેલા માટે કર્યું, અહીં કર્યું, ત્યાં કર્યું વગેરે; પરંતુ વાસ્તવિકતા શું છે, તે સમજાવતાં વ્યાસ ભગવાને શ્રીમદ્ભાગવત પુરાણમાં કહ્યું છે કે,



અતિ અજોડ અને આશ્ચર્યકારી વાત છે કે અનંત કોટિ બ્રહ્માંડમાં જે કાંઈ કાર્ય થાય છે, તેના કરનારા પુરુષોત્તમ નારાયણ પોતે જ છે; કાર્યરૂપ બ્રહ્માંડો અને તેમાં જે કાંઈ છે તે, તે સમગ્ર કાર્ય માટેની જરૂરી સાધનસામગ્રી, તે કાર્ય જેના માટે થાય છે તે, તે કાર્ય જેમાંથી-જ્યાંથી થાય છે તે, તે તમામ કાર્યના માલિક-સ્વામી અને તે કાર્યનું અધિષ્ઠાન-સ્થાન પણ તે પોતે પુરુષોત્તમ નારાયણ જ છે; કારણ કે તે સર્વના આધારરૂપ અને નિયંતારૂપ આત્મા પુરુષોત્તમ નારાયણ પોતે જ છે; તેથી તે સર્વ પુરુષોત્તમ નારાયણનું શરીર છે, તેનાથી બહાર કશું જ નથી. વળી, તે જ સૌથી પર કહેવાતા ઈશ્વરોના પણ ઈશ્વર, અનાદિ કાળથી પ્રસિદ્ધ એવા એકમાત્ર પરબ્રહ્મ પરમેશ્વર છે.








(હરિલીલામૃત.૧/૧૫/૫૯-૬૦)


જેમની કૃપા થવાથી મૂંગો બોલતો થાય છે અને પાંગળો પર્વત ઓળંગી શકે છે; તેવા પરમાનંદ સ્વરૂપ લક્ષ્મીપતિ ભગવાનને હૃદયથી વંદન કરું છું.