Vikat Velae Valmo Vahare Avya

Vikat Velae Valmo Vahare Avya
April 1, 2025
Gyanjivandasji Swami - Kundaldham
0:00/0:00

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૩૦/૦૭/૨૦૨૩ ને સોમવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન

તે સમયે તે સંઘની એક ભક્ત બાઈ સર્વે સંઘથી પાછળ રહી ગઈ અને થોડું વેળું પડી ગયું. પછી તે બહેનને સંઘ ન દેખાવાથી ઝડપથી ચાલવા લાગ્યાં. વચમાં બીજો માર્ગ આવ્યો પણ ત્યાં કોઈ માણસ મળ્યું નહિ, એટલે ભૂલથી એ બીજા માર્ગમાં ચડી ગયાં. એકાદ ગાઉ ચાલ્યાં, છતાં કોઈ માણસ ન દેખાયું. એટલે ડોશી ત્યાં ઊભાં ઊભાં ‘ચુનીલાલ...એ ચુનીલાલ’ એમ પોકારવા લાગ્યા, પણ કાંઈ જવાબ મળ્યો નહીં. ત્યારે પોતે એમ જાણ્યું જે, એ તો ઉતાવળા ચાલ્યા એટલે આગળ નીકળી ગયા હશે; એમ માનીને તે પણ અતિ ઉતાવળા ચાલવા માંડયાં. તે ચાલતાં ચાલતાં બે-ચાર ગાઉ એમ ને એમ ખોટે માર્ગે ચાલ્યા ગયાં. પછી સૂર્યનારાયણ અસ્ત પામી ગયા અને અંધારું થઈ ગયું. ત્યારે ડોશીને હૃદયમાં અતિ બીક લાગી એટલે શ્રીજીમહારાજને પ્રાર્થના કરવા લાગ્યાં.

‘હે મારા નાથ ! હે મહારાજ ! હે ધર્મ-ભક્તિના પુત્ર ! હે ઘનશ્યામ મહારાજ ! હે દયાળુ ! હું આ ઘોર જંગલમાં અજાણી વાટે ચડી ગઈ છું. તમે જ મારી રક્ષા કરો. નહિ તો વાઘ આવશે કે ચોર આવશે અને મને મારી નાંખશે. મારી પાસે ઘરેણું છે, રૂપિયા છે; તે લઈ જાશે. માટે હે નાથ ! મારી વહારે આવો.’ એમ ડોશીએ પ્રાર્થના કરી.

શ્રીકૃષ્ણ ભગવાન મહાભારતના ઉદ્યોગપર્વમાં સંજયને કહે છે,


દ્રૌપદીની જેમ આ ડોશીમાએ પણ બહુ પ્રાર્થના કરી, એટલે ભગવાન સ્વામિનારાયણ તત્કાળ ગાડું લઈને આવ્યા અને માડીને છપૈયા પહોંચાડયાં ! પછી નારાયણ સરોવરના કાંઠા ઉપર ડોશીમાને ઉતારીને શ્રીજીમહારાજે કહ્યું કે, ‘અહીં તમારો સંઘ આવશે અને તમે આ સામે મંદિર છે ત્યાં જાઓ અને એમાં બેસીને નિરાંતે અમારું ભજન કરજો.’ એમ કહીને ગાડા સહિત શ્રીહરિ અદૃશ્ય થઈ ગયા.


સવારમાં પૂજાપાઠ કરી પ્રભુને પ્રાર્થના કરી. પછી ફરીને સવારના પહોરમાં એક માણસને એ બાઈની ખબર કાઢવા મોકલ્યો. આમ ને આમ સંઘ સાથે તે ભક્તની શોધમાં બે દિવસ બધા ત્યાં ને ત્યાં રોકાઈ રહ્યા. પછી આખો સંઘ પ્રાર્થના કરવા માંડયો. અંતે ભગવાને ભક્તોની પ્રાર્થના સાંભળી.

ભક્તોનો શુદ્ધ ભાવ હતો અને ભક્ત પ્રત્યેનો સ્નેહ હોવાથી શ્રીહરિએ ત્રીજે દિવસે સવારના પહોરમાં ચુનીલાલને આવીને સાક્ષાત્ દર્શન દઈને કહ્યું, “તમે અહીં બેઠા છો અને એ બાઈને તો અમે તે જ દિવસે છપૈયા પહોંચાડી દીધાં છે. તે ત્યાં મંદિરમાં ભજન કરે છે. અમારાં દર્શન કરે છે અને થાળનો શીરો, પૂરી અને લાડવા ખાય છે અને અમારા ગુણ ગાય છે; માટે હવે સંઘ લઈને જલ્દી ઊપડો, ત્યાં જાઓ.” એમ કહીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. આ ઐશ્વર્ય જોઈને ચુનીલાલ વગેરે સંઘના તમામ હરિભક્તો મહાઆનંદ પામ્યા, બહુ રાજી થયા અને છપૈયા પહોંચી ગયા.