Bandhanmukt

Bandhanmukt
May 1, 2024
Krushnapriyadasji Swami - Kundaldham
0:00/0:00

એક પ્રતાપી મહાત્મા હતા. તેમને એક શિષ્ય હતો. બંને ગામડાઓમાં ફરે .જ્યાં જાય ત્યાં ગામની બહાર ઉતારો કરે. શિષ્ય ભિક્ષા લાવે તે બંને જમે. જમતી વખતે શિષ્ય ગુરુને ગામના સમાચાર આપે.

શિષ્યને સહુ પૂછે, ‘તમારા ગુરુ કોણ ?’ ત્યારે શિષ્ય કહે, ‘મારા ગુરુ બધાની મુશ્કેલી દૂર કરે એવા ખૂબ જ મહાન છે.’

ગામલોકોને જે કાંઈ મુશ્કેલી હોય તે શિષ્યને કહે. શિષ્ય ગુરુ પાસેથી ઉત્તર સાંભળીને લોકોને કહે. તેથી લોકોને શાંતિ થાય.

શિષ્ય કહે, ‘એ વાત જવા દે, તારી વાત મેં ગુરુને કરી તો તેમને વસમું લાગી ગયું. તે અચેતન થઈને જમીન ઉપર ચત્તાપાટ પડી ગયા, માંડમાંડ સારા થયા.’

વાત સાંભળીને પોપટ બોલ્યો, ‘વાહ ! ગુરુદેવે ખૂબ જ કરુણા કરી, મને સમજાઈ ગયું.’

શિષ્યને કાંઈ જ સમજાયું નહી, તે તો ભિક્ષા લઈને ગયો.

થોડીવારમાં પોપટને ખાવાનું આપવા આવતા શેઠાણીને દૂરથી જોઈને પોપટ પાંજરાના હીંચકા ઉપરથી નીચે ચત્તોપાટ પડી ગયો. શેઠાણીને થયું કે, ‘પોપટને કાંઈક થયું છે. હાલતો-ચાલતો નથી. મરી ગયો લાગે છે.’

શેઠાણીએ શેઠને બતાવ્યું. તેમને પણ લાગ્યું કે પોપટ મરી ગયો છે. તેમણે નોકરને કહ્યું, ‘આપણો પોપટ મરી ગયો છે, માટે તું આને ગામબહાર નાંખી આવ.’