Aapni Andar Gupt Divya Khajano !

Aapni Andar Gupt Divya Khajano !
May 3, 2025
Anadiswarupdasji Swami - Kundaldham
0:00/0:00

વહાલા ભક્તો, કહેવાય છે કે આ સૃષ્ટિમાં ઘણા સમય પહેલાં એક સમય એવો હતો કે ત્યારે પૃથ્વી પરના બધા જ મનુષ્યો ઈશ્વરના જેવી દિવ્યતા-દેવત્વ ધરાવતા હતા, પરંતુ તેઓએ તેમની દિવ્યતાનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું. તેથી ભગવાને બધા મનુષ્યો પાસેથી તે દિવ્યતા છીનવી લેવાનું અને તેને એવી જગ્યાએ છુપાવવાનું નક્કી કર્યું કે જેથી તે મનુષ્યો તે દિવ્યતાને ક્યારેય શોધી ન શકે.

પછી ભગવાન વિચારવા લાગ્યા કે આ દિવ્યતાને ક્યાં છુપાવવી ? પછી પ્રભુને વિચાર આવ્યો કે, ‘તે દિવ્યતાને પૃથ્વીની અંદર ઊંડી દાટી દઉં.’ ત્યારે વળી વિચાર આવ્યો કે, ‘ના, મનુષ્યો પૃથ્વીમાં ખોદીને તેને શોધી કાઢશે.’ વળી તેમણે વિચાર્યું, ‘ચાલો, તેને સમુદ્રમાં ઊંડી ડુબાડી દઉં.’ ત્યારે વળી તેમને થયું કે, ‘મનુષ્ય સમુદ્રમાં ડૂબકી મારવાનું શીખી જશે અને તેને ત્યાંથી શોધી કાઢશે.’

વહાલા ભક્તો, આપણી દિવ્યતા પણ આપણી અંદર જ છુપાયેલી છે, તેને જન્મોજન્મના ઘણા લાંબા સમયથી સાવ ભૂલી ગયા છીએ. તે આપણી દિવ્યતા શી છે ? તો આપણે સત્, ચિત્ અને આનંદમય એવા આત્મા છીએ; દેહ, ઇન્દ્રિયો, અંત:કરણ આદિકના પ્રકાશક, નિયામક, શાસક અને તેમનાથી સ્વતંત્ર છીએ; પોતાના સુખે જ સદા સુખી છીએ. આ વાત શ્રીજીમહારાજે વચનામૃતમાં પણ કહેલ છે.

વળી, તે પ્રયત્નની સાથે પરમાત્માની પ્રાર્થના કરવાની પણ જરૂર છે, તે માટે ઈશાવાસ્યોપનિષદમાં પરામાત્માને જે પ્રાર્થના કરવાનું કહેલ છે તે આપણે પણ કરીએ કે,

વળી, આપણી ઉપર કહી તેનાથી બીજી અતિશય શ્રેષ્ઠ દિવ્યતા તો એ છે કે દિવ્ય તેજોમય આત્મારૂપ એવા આપણામાં સદા સાકાર, સચ્ચિદાનંદરૂપ, સર્વજ્ઞ, સર્વસમર્થ, સર્વકર્તા, સર્વોપરિ, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, સર્વ કારણના કારણ, નિર્ગુણ, સ્વયંપ્રકાશ, સ્વતંત્ર, અતિ કરુણાળુ, વાત્સલ્યમૂર્તિ, જેના દર્શનમાત્રથી સર્વ પ્રકારના સુખનો અનુભવ થાય તેવા, જેને પામ્યા પછી આત્મા સદા નિર્ભય, પૂર્ણકામ અને દિવ્ય સુખનો ભોક્તા બની જાય તેવા, વળી અસંખ્ય સદ્ગુણો, ઐશ્વર્ય વગેરેના નિધિ; એવા પરબ્રહ્મ વિરાજમાન છે, પણ તેનો આપણને અનુભવ નથી થતો. તેનો અનુભવ કરવાનો ઉપાય બતાવતાં કઠોપનિષદમાં કહેલ છે કે,

દરેક આત્માની હૃદયરૂપી ગુફામાં પરમાત્મા વિરાજમાન છે, તે જે કાંઈ સૂક્ષ્મ છે, તેનાથી પણ સૂક્ષ્મ છે, અને જે કાંઈ મહાન-વિશાળ છે, તેનાથી પણ મહાન-વિશાળ છે. જે આત્મા કામ્ય કર્મોમાં અનાસક્ત થઈને પરમાત્માના આ મહિમાને જાણે છે, તે પરબ્રહ્મ પરમાત્માની કૃપાથી વીતશોક અર્થાત્ સર્વ પ્રકારના શોકથી મુક્ત થાય છે, અર્થાત્ પરમાત્મા જેવો સચ્ચિદાનંદરૂપ બની જાય છે.

શ્રીજીમહારાજે પણ સારંગપુરના ૧૧મા વચનામૃતમાં કહ્યું છે કે,

વહાલા ભક્તો, આવી છે આપણી અને આપણી અંદર વિરાજમાન પુરુષોત્તમનારાયણ એવા મહારાજની દિવ્યતા ! તે દિવ્ય ખજાનાને મૂકીને તુચ્છ અને નાશવંત માયિક વિષયોને મેળવવા ને ભોગવવા ફાંફા મારવા તે તો રાજાની રાણી થઈને ઠીકરું લઈને ભીખ માંગવા બરોબર છે. આપણા વહાલા ગુરુજીને પણ સતત આત્મારૂપ થઈ દિવ્ય પરમાત્મા એવા મહારાજને જાણવા-માણવાનું તાન છે, તેથી જ તેમણે આપણને તે તાન ચઢાવવા કહ્યું છે.