
તે ચિંતન ઘડી, બે ઘડી, એક-બે દિવસ, એક-બે વર્ષ સુધી જ નહિ, પરંતુ તેલની ધારની જેમ સતત ચિંતન કરતા રહેવાનું છે. ફક્ત આ એક જન્મ પૂરતું નહિ, પણ આ દેહ અને દુનિયાનો ત્યાગ કર્યા પછી ભગવાનના ધામમાં જઈને પણ અખંડ ભગવાનનું ચિંતન કર્યા જ કરવાનું છે.
આખા દિવસમાં સુખના કે દુઃખના જે જે વિચારો આવે તે પ્રભુ સાથે શેર કરવા. જેમ આપણાં મમ્મી-પપ્પા કે અંગત મિત્ર સાથે દિલની બધી વાતો કરીએ તેમ ભગવાન સાથે આખા દિવસના બધા વિચારોની વાતો કર્યા કરવી.