
તો ચાલો આપણે કરીએ ઘરસભા….
(ઘરમાં, બગીચામાં કે ટેરેસ પર જ્યાં બધા સભ્યોને સાનુકૂળ હોય તથા કોઈ વિક્ષેપ થાય તેમ ન હોય ત્યાં ઘરસભા કરવાથી વધુ ફાયદો થાય.)
પૂજન :- આ વીકમાં કે આ મહિનામાં પરિવારમાં કોઈનો જન્મદિવસ આવ્યો હોય કે આવવાનો હોય તેમના દ્વારા અથવા નાનામાં નાના સભ્યએ ઘનશ્યામ મહારાજનું હાર, કંકુ-ચોખા કે ફૂલ વડે મહારાજનું પૂજન કરવું, ત્યારબાદ મહારાજને પ્રસાદ ધરાવવો.
પ્રાર્થના :- જેનો જન્મદિવસ હોય તેમણે અથવા બધા સભ્યોએ ભેગા મળી એક પ્રાર્થનાનું કીર્તન ગાવું. ત્યારબાદ “કરી મહારાજે મોટી મહેર...” અને “એવા ભક્તના લઈએ જો ગુણ...” એ ચોપાઈનું ગાન કરવું.
ત્યારબાદ ઘરના વડીલ સભ્યએ આ મેગેઝિનમાંથી “હરિનાં હિતકારી વચન” લેખ વાંચવો અથવા વંચાવવો.
ત્યારબાદ વાત કરવી કે, હવે આ અષાઢ સુદી દેવશયની એકાદશી એટલે 10 જુલાઈથી ચાતુર્માસ આવે છે, જેને ભક્તિ માસ પણ કહેવામાં આવે છે. આપણે પણ વહાલા મહારાજને તથા પૂ.ગુરુજીને રાજી કરવા માટે કાંઈક નિયમ લેવો જોઈએ એમ ચાતુર્માસમાં ઘરના દરેક સભ્યોને કંઈક નિયમ લેવા બાબતે ટકોર કરવી. તેમાં ખાસ કરીને ઘરના જે સભ્યો મંગળા અને સવારની કથા ન સાંભળતા હોય તો તેમને સવારની કથા સાંભળવાનો ખાસ નિયમ રખાવવો અને જે સાંભળતા હોય તે સભ્યો માટે આ લેખમાં બતાવ્યા અનુસાર કંઈક ભક્તિ સંબંધી નિયમ લેવા.
આ ઉપરાંત નિયમોમાં…..
ઘરના દરેક સભ્યોએ એકબીજાને દરરોજ નિયમની યાદી આપવી અને નિયમ પળે તે માટે ઘરના સભ્યોએ સજાગ રહેવું અને એકબીજાને સજાગતા આપવી.
ત્યારબાદ થોડીક રમૂજી વાતો કરવી, એક-બે જોક્સ કહેવા અને પ્રસાદ વહેંચવો. એકબીજાને પગે લાગી જય સ્વામિનારાયણ કહીને ઘરસભાની પૂર્ણાહુતિ કરવી...