સામાન્ય રીતે એક ચોઘડિયાની સમયમર્યાદા વર્તમાન સમયમાં દોઢ કલાકની ગણાય છે. સૂર્યોદયથી સૂર્યાસ્તના સમયને આઠ વડે ભાગી જે સમય આવે તેટલા સમયનું એક ચોઘડિયું ગણવું જોઈએ.
રવિવારે ચલ, મંગળવારે લાભ, બુધવારે અમૃત, ગુરુવારે લાભ તથા ચલ, શુક્રવારે અમૃત, શનિવારે અમૃત - આ ચોઘડિયાંમાં શુભ કાર્યનો આરંભ કરવો નહીં, પરંતુ સોમવારે દરેક શુભ ચોઘડિયામાં કાર્યનો આરંભ કરી શકાય છે.
રવિવારે અમૃત તથા શુભ, સોમવારે લાભ, મંગળવારે અમૃત તથા શુભ, બુધવારે ચલ, ગુરુવારે અમૃત, શુક્રવારે લાભ તથા ચલ ચોઘડિયામાં શુભ કાર્યનો આરંભ કરવાથી કાર્યમાં સફળતા મળવાનો યોગ ગણાય છે.
જન્મકુંડળીમાં જે ગ્રહ બળવાન હોય તે ગ્રહનું ચોઘડિયું સારું ગણવું.
ગોચરમાં જે ગ્રહ બળવાન હોય તે ગ્રહના ચોઘડિયામાં શુભ કાર્યનો આરંભ કરવો.