
એક દિવસને વિશે શ્રીજીમહારાજ ગઢપુરમાં પોતાની અક્ષરઓરડીને વિશે વિરાજમાન હતા. તે સમે મહારાજ પાસે કોઈ સાધુ હાજર નહિ ને દાદા ખાચર તથા સોમલા ખાચર તથા સુરા ખાચર, માતરા ધાધલ કાઠી તથા મોકા ખાચર એ આદિકની પોતાની ખાનગી મંડળી બેઠી હતી.
તેને સાંભળીને પછી સુરા ખાચરને પૂછ્યું. ત્યારે સુરા ખાચરે એમ કહ્યું જે, “હે મહારાજ ! બીજા સર્વે સંત સાથે બેસવું ઘટે તો બેસું, પણ ઝાઝું તો બ્રહ્માનંદ સ્વામી સાથે મારે હેત છે ને ત્યાં બેસું છું.” એવું સાંભળીને પછી સોમલા ખાચરને પૂછ્યું. ત્યારે સોમલે ખાચરે કહ્યું જે, “મહારાજ ! મારે તો નિત્યાનંદ સ્વામી સાથે હેત છે તે ત્યાં જઈને બેસું ને બીજા સંત સાથે થોડું બેસું.” એવી રીતે સર્વે પાર્ષદોને પૂછ્યું. ત્યારે સર્વે પાર્ષદે જેની જેની સાથે હેત તથા બેઠક હતી તે કહી બતાવી. ત્યારે સર્વેની વાત સાંભળીને મહારાજ બહુ રાજી થયા.