પુરુષોત્તમ શેઠની પેઢી...

પુરુષોત્તમ  શેઠની પેઢી...
August 1, 2025
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

દેવશી ભગતે પોતાના ઘરમાં જે કાંઈ ઘરેણાં વગેરે સંપત્તિ હતી તે બધી મંદિર માટે વાપરી નાંખી. હવે તેના ઘરમાં એક પણ ઘરેણું કે રૂપિયા નામે એક દોકડો પણ રહ્યો ન હતો, સાવ નિર્ધન થઈ ગયા. ગામના લોકોને પણ ખબર હતી કે, દેવશી ભગતે પોતાનું સર્વસ્વ મંદિર માટે ખર્ચી નાંખ્યું છે, હવે તેની પાસે કાંઈ છે નહીં.

હવે પરિસ્થિતિ એવી આવી કે ગામમાં તેઓ કાંઈક ઉછીના પૈસા લેવા જાય તો કોઈ આપે નહીં. અરે, ખાવા અનાજ કે પળી તેલ પણ કોઈ આપે નહિ એવી તેમની હાલત થઈ ગઈ.

ઘરના માણસો પણ ચિંતા કરવા લાગ્યા કે ઘરમાં કાંઈ છે નહિ હવે શું કરશું ? પરંતુ દેવશી ભગતને તો ભગવાન સ્વામિનારાયણ પર પૂરો વિશ્વાસ હતો; એટલે ઘરના માણસોને ધીરજ આપતાં કહ્યું, “મહારાજ આપણી સાથે છે, શું કામ ચિંતા કરો છો ?” એમ કહી નરશી મહેતાનો પ્રસંગ કહ્યો કે, “જેમ શ્રીકૃષ્ણ ભગવાને શામળશાના લગ્ન કરી દીધા હતા, તેમ આપણા દીકરાના લગ્ન પણ શ્રીહરિજી કરી દેશે. લોકોને જેમ બોલવું હોય તેમ ભલેને બોલે, આપણે શ્રીહરિમાં વિશ્વાસ રાખી ભજન કરો.” આમ, ભગવાન પર ભરોસો રાખી ભજન કરવા લાગ્યા.


વેવાઈને લાગ્યું કે આ ઘરેણાં ખોટાં તો નહિ હોય ને ! પછી તેણે શંકાનું સમાધાન કરવા માટે સોનીને બોલાવીને તે ઘરેણાં બતાવ્યાં. ત્યારે સોની તે ઘરેણાં જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયો અને બોલ્યો, “અહો ! આવું સોનું અને આવાં ઘરેણાં તો મેં મારી જિંદગીમાં ક્યારેય જોયાં નથી !!”

પછી ઘરેણાં ને રૂપિયા લઈને વેવાઈ કહે, “તમો કોણ છો ?” ત્યારે મહારાજ કહે, “અમે જૂનાગઢના પુરુષોત્તમ શેઠ છીએ અને આ પુરુષોત્તમ શેઠની પેઢીનો માલ છે !” શેઠના રૂપમાં રહેલ મહારાજની છટા જોઈનેે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આમ, દિવ્યરૂપે આવેલા મહારાજ લગ્નનો તમામ ખર્ચ ચૂકવી દઈને પછી ચાલતા થયા અને ક્ષણવારમાં અદૃશ્ય થઈ ગયા. ત્યારે ત્યાંના લોકો શેઠને ગોતવા માંડયા, પણ ક્યાંય હાથ આવ્યા નહીં. પછી ધામધૂમથી દેવશી ભગતના દીકરાના લગ્ન થયા. આમ, મહારાજે દેવશી ભગતની લાજ રાખી.