
થોડો સમય જતાં બીજો મુમુક્ષુ આવ્યો. મહાત્માએ તેને કહ્યું, ‘એક શેર ચોખા મારા માટે એક ભક્ત લાવે છે તે હું ખાઉં છું. અને આ મુમુક્ષુ છે તે ચોખાનું ધોવરામણ પીને રહે છે. હવે બીજી સગવડતા નથી.’ નવા આવેલા મુમુક્ષુએ કહ્યું, ‘ગુરુદેવ, ચોખા સાફ કરતા થોડા દાણા નીચે પડશે તે ખાઈને હું અહીં રહીશ.’ મહાત્માએ કહ્યું ,‘જો એમ હોય તો ખુશીથી રહો.’
મહાત્માનો મહિમા સાંભળી ચોથો મુમુક્ષુ આવ્યો. તેણે કહ્યું, ‘મારે આપનો સમાગમ કરવો છે.’ મહાત્માએ કહ્યું,‘અહીં ભોજનની વ્યવસ્થા નથી. આ ત્રણ છે તે ધોવરામણ પીને, નીચે પડી ગયેલા ચોખાના દાણા ખાઈને અને ચળુંનું પાણી પીને રહે છે.’ આ મુમુક્ષુએ કહ્યું, ‘આપ જમ્યા પછી માટલી ધોતા હશો તે માટલીનું ધોવરામણ પીને રહીશ.’ મહાત્માએ તેની મુમુક્ષુતા જોઈ કહ્યું, ‘ભલે.’
પછી એક મુમુક્ષુ મહાત્માનો સમાગમ કરવા આવ્યો. મહાત્માએ કહ્યું, ‘અહીં ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા નથી. મારા માટે શેર ચોખા આવે છે. તેનું ધોવરામણ, નીચે પડી ગયેલા ચોખાના દાણા, મારું ચળું પીને અને હાંડલીનું ધોવરામણ પીને આ ચાર જણ સમાગમ કરે છે.’ આ મુમુક્ષુ ઉત્તમ હતો. તેણે કહ્યું, ‘ગુરુજી, હું વાયુપાન કરીને પણ આપનો સમાગમ કરીશ.’
વહાલા ભક્તો, આપણને તો આપણું મનગમતું મળે તો જ સત્સંગ કરવો ગમે; પણ જરા વિચાર કરીએ કે માટે સાવધાન,