
જ્ઞાન ગુસ્સો કરવો તે, પોતાના પગ ઉપર;
કુહાડી માર્યા જેવું છે, કરશો નહિ કોઇ પર...૦૧
જ્ઞાન જેના ઉપર તમે, ક્રોધ કરી જે કાંય;
તેને નુકશાન કરો તેથી, વધારે તમને થાય...૦૨
તમને કોઈ ખીજવવા, ચીડવવા કરે જ્ઞાન;
પણ તમે જો ખીજાવ કે, ચીડાવ નહિ નિદાન...૦૩
તો તે આપ મેળે જ, બંધ થઇ જાય નિદાન;
નિજનો યત્ન ફેલ જાણી, ત્યાગ કરી દે જ્ઞાન...૦૪
સાચી બહાદુરી એ જ છે, ક્રોધ પર મેળવો વિજય;
નહિ તો તમ જેવો ફોશી, જ્ઞાન બીજો કોય નય...૦૫