
મહાત્માજીએ પ્રોફેસર તરફ જોયું અને કહ્યું, “પ્રોફેસર, એ તો હું સમજાવું, પણ પહેલા તમે એક કામ કરશો ?” “હા, ચોક્કસ,” પ્રોફેસરે કહ્યું. મહાત્માજીએ એક આંગણામાં ખૂણામાં મૂકેલા ઈંટોના ઢગલા તરફ આંગળી ચીંધીને કહ્યું, “શું તમે આ ઈંટોને સામેની બાજુ લઈ જશો ?”
પછી તે પ્રોફેસરે ફરીથી બધી ઈંટો ગોઠવી દીધી. પરંતુ તેમના હાથે ઉઝરડા પડ્યા અને તેમની પીઠ દુ:ખવા લાગી. પછી હાંફતાં હાંફતાં મહાત્માજી પાસે આવીને કહ્યું, “કામ પૂરું થયું; હવે મહાત્માજી, કૃપા કરીને મને ગીતાનો ઉપદેશ આપો.” મહાત્માજીએ ઈંટો જોઈનેે શંકા કરી કે, “પ્રોફેસેર, આ ઈંટોની બાજુમાં બગીચાનો પ્રવેશ દ્વાર હોવાથી લોકોને અવરોધ નહિ કરે ? પ્રોફેસર, આપણે તેમને પૂર્વમાં ગોઠવીએ તો કેમ ?”
મહાત્માજીએ કહ્યું, “મારા પ્રિય મિત્ર, આ તો મેં તમને ગીતાજીનો પ્રેક્ટિકલ ઉપદેશ આપ્યો. શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે,
(गीता : ४/३४)
સદ્ગુરુ અને સત્શાસ્ત્રના સેવન થકી જેમને પરબ્રહ્મ વગેરે પાંચેય તત્ત્વોનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય, એવા સદ્ગુરુને શરણે જઈને પ્રથમ તો તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા. પછી તેમની મરજી મુજબ સેવા કરવી. ત્યારબાદ તેનાથી પ્રસન્ન થયેલા તે સદ્ગુરુને નાશવંત અને અવિનાશી વસ્તુઓના સ્વરૂપ સંબંધી પ્રશ્નો પૂછવા. આ રીતે અનુક્રમથી શરણાગતિ, સેવા અને જિજ્ઞાસારૂપ પ્રક્રિયા દ્વારા તું તે પાંચેય તત્ત્વોનું યથાર્થ જ્ઞાન જાણ-પ્રાપ્ત કર. અર્થાત્ જ્યારે તું આ રીતે કરીશ ત્યારે તે તત્ત્વોને દેખનારા અને જેમ છે તેમ જાણનારા એવા તે સત્પુરુષો તને તે બંને વસ્તુના જ્ઞાનનો ઉપદેશ કરશે.