ગુણગ્રાહી બનીએ...

ગુણગ્રાહી બનીએ...
February 1, 2024
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

દર્શનનો આટલો ટૂંકો પરિચય સાંભળી તમને સારું લાગ્યું ને ! જો આપણે પણ તેના રસ્તે ચાલવા ઈચ્છતા હોઈએ તો આપણી આજુબાજુમાંથી આપણે પણ એવો કોઈક દર્શન ખોળી કાઢવો જોઈએ. બસ હવે તેના જીવનને જોયા કરો, તેનાથી પ્રભાવિત રહો, તેની પાસેથી સમજણ શીખતા રહો. આમ દર્શનના પગલે ચાલ્યા કરવાથી એક દિવસ ચોક્કસ મારા પ્રભુનાં દર્શન થઈ જશે...

શ્રીહરિનો પડછાયો બનીને કાયમ પ્રભુની સાથે રહેતા એવા મૂળજી બ્રહ્મચારી, કે જેઓ ગ્રામ્યકથા ન કરવાની મહારાજની આજ્ઞા થતાં સમજ્યા વગર રામકથા ન કરવાનું કહી આવ્યા હતા. આપણે આ બાબતને તેમની ભોળપ કે વ્યવહારની સૂઝબૂઝના અભાવ તરીકે જોવી હોય તો એમ પણ જોઈ શકાય અને પ્રભુને તૃષા લાગતાં તેમણે ઝડપથી પાણી લાવવા માટે વડતાલ મંદિરની પ્રદક્ષિણામાંથી ઠેકડો માર્યો હતો. વળી, દિવાસ્વપ્નમાંથી જાગતાં જ અગ્નિ થકી બચાવવા પ્રભુને તેડીને ભાગ્યા હતા; આ તેમની પ્રભુપ્રેમની પરાકાષ્ઠાને ધ્યાનમાં લેવી હોય તો એ પણ લઈ શકાય.