
ધૈર્ય તે નબળાઈ નથી, પણ શક્તિ છે મહાન;
જે સહુ પાસે હોતી નથી, ખાસ કેળવજો જ્ઞાન...૦૧
સંયમ જે રાખે તેને, હરાવી શકે ન કોય;
જ્ઞાન આ દુનિયામાં સદા, એની જ જીત હોય...૦૨
ધીરજ અને સંયમ તે, સહુ તકલીફનું જ્ઞાન;
જોરદાર સમાધાન છે, ગરમ ન થશો નિદાન...૦૩
વિવાદ કરવા કરતાંય, મૂર્ખાને તો જ્ઞાન;
મૌન રાખીને જીતવા, એ જ છે વાત મહાન...૦૪
મૂર્ખને સહન કરવામાં, ઘણું બધું ઓછું જ્ઞાન;
સહન કરવાનું થાય છે, માટે સહો જ નિદાન...૦૫
વિજયી બને છે હંમેશાં, ધૈર્યવાન જન જ્ઞાન;
સર્વથી શ્રેષ્ઠ શસ્ત્ર છે, સહનશીલતા મહાન...૦૬
રચયિતા : પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામ
(સં.૨૦૮૧, ચૈત્ર સુદ-૧ તા.૩૦/૩/૨૦૨૫, કુંડળધામ)