અમે કોણ છીએ

આધ્યાત્મિકતા, સેવા અને સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર

પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળધામ), આજે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી વધુ પ્રિય અને આદરણીય આધ્યાત્મિક ગુરુઓમાંના એક છે. તેમણે તેમના છેલ્લા 40 વર્ષ, પોતાની આધ્યાત્મિક સાધનાને આત્મસાત કરવામાં અને તેને અન્યો સાથે વહેંચવામાં વિતાવ્યા છે. સ્વામીજી કુંડળધામ અને કારેલીબાગ, વડોદરા (વડતાલ ગાદી સાથે જોડાયેલ) માં આવેલા સ્વામિનારાયણ મંદિરો પાછળના વર્તમાન ગુરુ અને એકમાત્ર પ્રેરણાસ્રોત છે. હાલમાં, કુંડળધામમાં 100થી વધુ સંતો અને અસંખ્ય પવિત્ર ભક્તો વસવાટ કરી રહ્યા છે. સ્વામીજીનું મિશન તેમના અનુયાયીઓમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સાચું જ્ઞાન ફેલાવવાનું છે. તેમના આ મિશનને પૂર્ણ કરવા માટે, સ્વામીજીએ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ શાસ્ત્રો પર પુષ્કળ પ્રવચનો આપ્યા છે.

3D Animation

3D એનિમેશન

સ્વામીજી તેમના યુવા અનુયાયીઓને નાની ઉંમરથી જ સાચા માર્ગ પર માર્ગદર્શન આપવા માટે તેમનો મૂલ્યવાન સમય પણ ફાળવે છે. સ્વામીજી 'સમય સાથે બદલાવ' માં દૃઢ વિશ્વાસ ધરાવે છે, જે આધ્યાત્મિક માર્ગમાં ટેકનોલોજીકલ પ્રગતિનો સમાવેશ કરવાની તેમની રીતોમાં સ્પષ્ટ દેખાય છે. ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનું આ મિશ્રણ સ્વામીજી દ્વારા સ્વયંસેવકોની મદદથી સંપૂર્ણપણે હોમ પ્રોડક્શન દ્વારા ભગવાન સ્વામિનારાયણની વિવિધ ચેષ્ટાઓના 3D એનિમેશનના સ્વરૂપમાં આશ્ચર્યજનક રીતે તૈયાર કરવામાં આવ્યું છે. સ્વામીજીએ તેમના અનુયાયીઓને ભગવાન પ્રત્યેનો પ્રેમ વધારવામાં મદદરૂપ થાય તેવા 3D એનિમેશન વચનામૃત અને અન્ય કેટલાક પ્રોજેક્ટ્સ પણ બહાર પાડ્યા છે.

Books Publication

પુસ્તક પ્રકાશન

સ્વામીજી દ્વારા 50 થી વધુ પ્રાચીન હસ્તલિખિત હસ્તપ્રતો અને આધુનિક યુગના પુસ્તકોના ડિજિટલાઇઝેશનથી લઈને પ્રકાશન સુધીનું વિશાળ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે અને સમગ્ર વિશ્વમાં વિતરિત કરવામાં આવ્યું છે. વિશ્વમાં પ્રથમ વખત, શ્રીમદ્દ હરિચરિત્રામૃત સાગર (ભગવાન સ્વામિનારાયણનું સંપૂર્ણ જીવન, વિચારધારા અને ઉપદેશો) નામનું સૌથી લાંબુ શાસ્ત્ર, શ્રી સ્વામિનારાયણ ભગવાનની વાણીરૂપ વચનામૃત તથા શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપ સમાન સ્વહસ્ત લિખિત શિક્ષાપત્રી, સ્વામીજી દ્વારા ટાઈટેનિયમ પ્લેટો પર કોતરવામાં આવ્યાં છે, જે 10,000 વર્ષથી વધુ સમય સુધી ટકી શકે છે. તદુપરાંત, આધ્યાત્મિકતાના રત્નો સાથેનું માસિક ઇ-મેગેઝિન "સત્સંગ સેવક" નિયમિતપણે ભક્તોના જ્ઞાનને પ્રકાશિત કરે છે.

Temples

મંદિરો

સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિમાં ગૌરવશાળી યોગદાન આપતા, પૂજ્ય સ્વામીજી દ્વારા 15 થી વધુ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને અસંખ્ય મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, જ્યાં તમામ ભક્તોને પ્રખ્યાત "લાડુડી" પ્રસાદ વિતરિત કરવામાં આવે છે. કુંડળધામ મંદિરમાં 200 થી વધુ સમર્પિત સેવાભાવીઓ કાયમી ધોરણે સેવા માટે રહ્યા છે.

Gopinathji Gaushala

ગોપીનાથજી ગૌશાળા

કુંડળધામ ખાતેની ભવ્ય ગોપીનાથજી ગૌશાળા, ગીર ગાયો, બળદો અને વાછરડાઓની શ્રેષ્ઠ નસલ માટે પૃથ્વી પરનું સ્વર્ગ છે. તેઓને ભગવાનના દિવ્ય પરિવારના સભ્યો માનવામાં આવે છે. માત્ર 10 દૂધાળી ગાયોથી શરૂઆત કરીને, આ પરિવાર હવે 300 થી વધુ ગાયો, બળદો અને વાછરડાઓ સુધી પહોંચ્યો છે.

Social activities

સામાજિક પ્રવૃત્તિઓ

શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા "દીન જનો પર દયા કરો અને સેવા કરો" ને અનુસરવા માટે, સ્વામીજીએ માનવતાની સેવા માટે ઘણા સામાજિક કાર્યો શરૂ કર્યા છે, જેમ કે, ગાળા ગામનો પુનઃઉદ્ધાર, દર્દીઓની મુલાકાત, રક્તદાન કેમ્પ, આરોગ્ય નિદાન કેમ્પ, પદયાત્રા, કોરોના વાયરસ રોગચાળા દરમિયાન જરૂરિયાતમંદ લોકોને સહાય, અનાજ-કરીયાણાનું વિતરણ, કપડાનુ વિતરણ, કેરી વિતરણ, શેરડી વિતરણ, લાડુ વિતરણ વગેરે.

Recognition and Achievements

સિદ્ધિઓ

સ્વામીજી આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રે કેટલાક આશ્ચર્યજનક અને ભવ્ય કાર્ય માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ જેવા અનેક એવોર્ડ્સ ધરાવે છે.

Festival Celebrations

ઉત્સવોની ઉજવણી

સ્વામીજી દ્વારા વર્ષમાં ખાસ પ્રસંગે સૌથી મોટા આકર્ષક અને દિવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે. કુંડળધામમાં દિવાળી શિબિર (7 - 8 દિવસનો કાર્યક્રમ) દ્વારા વિશ્વભરના વિવિધ વયના ભક્તોને ઝીણવટભરી આધ્યાત્મિક અને સામાજિક તાલીમ આપવામાં આવે છે. ઉનાળાના વેકેશનમાં વડોદરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના ભવ્ય પાટોત્સવ નિમિત્તે વિવિધ(બાળ-બાલીકા, યુવા-યુવતી, કિશોર-કિશોરી, પ્રૌઢ-પ્રૌઢા) શિબિરનું આયોજન કરી જેવી જેની જરૂરીયાત હોય તે મુજબના કાર્યક્રમ દ્વારા ઉંમર મુજબ આધ્યાત્મિક પોષણ કરવામાં આવે છે તથા ભવ્ય હિંડોળા, રંગોત્સવ, દિવ્ય દીપોત્સવ, પવિત્ર જલ-ઝીલણી મહોત્સવ જેવા વૈદિક ઉત્સવો ઉજવવામાં આવતા આવે છે.

Children & youth activities

બાળકો અને યુવા પ્રવૃત્તિઓ

સ્વામીજીએ બાળકોમાં શરૂઆતથી જ નૈતિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો કેળવાય, યુવાનો માટે અનન્ય અને ખાસ તૈયાર કરેલા તાલીમ કેમ્પનું માળખું અને આયોજન કર્યું છે. વિવિધ વયના ભક્તોના જીવનને બદલવા માટે નાટક, નૃત્ય, ટેલીફિલ્મ્સ, રમતો અને અન્ય અસંખ્ય મનોરંજન પ્રવૃત્તિઓ જેવી રોમાંચક અને આકર્ષક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.