26 Nov સંચળ
સંચળ ભારત દેશમાં બનતું, અને વિવિધ ભારતીય વાનગીઓ બનાવવામાં વપરાશમાં લેવાતો એક જાતનો મસાલો છે તેનો ઉપયોગ ચાટ, ચટણી, રાઈતું અને બીજાં પણ ઘણાં ભારતીય વ્યંજનો બનાવવામાં કરવામાં આવે છે. વાસ્તવિકતામાં સંચળ એક ખનીજ છે, જે રીતે સિંધવ ખડક રૂપે મળી આવે છે, તે જ રીતે સંચળ પણ ખડક રૂપે મળી આવે છે. સંચળને આયુર્વેદમાં ઠંડી પ્રકૃતિનું માનવામાં આવે છે તથા તેનો ઉપયોગ રેચક અને પાચન સહાયક દ્રવ્ય તરીકે કરવામાં આવે છે.
Sorry, the comment form is closed at this time.